સત્ય. સાહસ. સંકલ્પ.

પીએમ મોદીના જન્મદિવસે જાણો, વડનગર રેલવે સ્ટેશનની એ ચાની દુકાનની વાત

પીએમ મોદીના જન્મદિવસે જાણો, વડનગર રેલવે સ્ટેશનની એ ચાની દુકાનની વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર, 1950ના રોજ ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા વડનગરમાં થયો હતો. તેમનું બાળપણ આ જ શહેરમાં વીત્યું હતું. તેમના પિતા દામોદરદાસ મૂળચંદ મોદી વડનગર રેલવે સ્ટેશન પર ચા વેચતા હતા અને નરેન્દ્ર મોદી પણ બાળપણમાં પિતા સાથે ચા વેચવામાં મદભ કરતા હતા.

દર વર્ષે 17 સપ્ટેમ્બરે તેમના જીવન અને સંઘર્ષ સાથે જોડાયેલી ઘણી વાતો ચર્ચામાં આવે છે. આવી જ એક વાત વડનગર રેલવે સ્ટેશન પર આવેલી એ નાનકડી ચાની દુકાનની છે, જે આજે તેમના શરૂઆતના જીવનની યાદો સાથે જોડાયેલી છે. આ કારણે આ ટી સ્ટોલ તેમની જીવનયાત્રા સાથે જોડાયેલા સૌથી ચર્ચિત સ્થળોમાંનું એક ગણાય છે.

નરેન્દ્ર મોદીએ પોતાના જાહેર જીવનમાં ઘણી વખત બાળપણના આ અનુભવનો ઉલ્લેખ કર્યો છે. વડાપ્રધાન બન્યા બાદ પણ તેમણે અલગ-અલગ પ્રસંગોએ પોતાના શરૂઆતના દિવસો યાદ કર્યા છે. તેમની રાજકીય સફરમાં 'ચાવાળા' શબ્દ પણ એક મહત્વપૂર્ણ જાહેર ઓળખ તરીકે સામે આવ્યો છે. આ રીતે વડનગરનો ટી સ્ટોલ માત્ર તેમના બાળપણની કહાણીનો હિસ્સો રહ્યો નથી, પણ તેમની જાહેર ઓળખ સાથે પણ જોડાઈ ગયો છે.

આ ચાની દુકાન સાથે જોડાયેલી કહાણી એ સમયની છે, જ્યારે નરેન્દ્ર મોદી રાજકારણમાં આવ્યા નહોતા અને એક સામાન્ય પરિવારમાં તેમનું બાળપણ પસાર થઈ રહ્યું હતું. હાલમાં તેમની આ ચાની દુકાનને સંરક્ષિત પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહી છે.

જો તમે નરેન્દ્ર મોદીના બાળપણ સાથે જોડાયેલા આ સ્થળની મુલાકાત લેવા માંગતા હો, તો તમારે વડનગર રેલવે સ્ટેશન પહોંચવું પડશે. વડનગર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું છે. રેલવે માર્ગે વડનગર પહોંચ્યા બાદ સ્ટેશન પરિસરમાં આ દુકાન જોઈ શકાય છે.