સત્ય. સાહસ. સંકલ્પ.

આયોડિનની ઉણપ દૂર કરવા ડાયટમાં શું સામેલ કરવું? જાણો નિષ્ણાતની સલાહ

આયોડિનની ઉણપ દૂર કરવા ડાયટમાં શું સામેલ કરવું? જાણો નિષ્ણાતની સલાહ

આયોડિન શરીર માટે જરૂરી મિનરલ છે. શરીરને થાઇરોઇડ હોર્મોન બનાવવા માટે આયોડિન જોઈએ. આ હોર્મોન શરીરનું મેટાબોલિઝમ, શરીરનું તાપમાન, ઊર્જાનું સ્તર, વૃદ્ધિ અને મગજના વિકાસને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. શરીરમાં આયોડિનની ઉણપથી ગોઇટર, થાઇરોઇડ સંબંધિત સમસ્યાઓ, થાક, વજન વધવું અને બાળકોમાં શારીરિક તથા માનસિક વિકાસમાં અવરોધ જેવી મુશ્કેલીઓ થઈ શકે છે. તો ચાલો જાણીએ, આ ઉણપ દૂર કરવા ડાયટમાં શું સામેલ કરવું જોઈએ.

આયોડિનની ઉણપ દૂર કરવા આયોડિન યુક્ત મીઠાનો ઉપયોગ કરી શકાય. આયોડિન વગરના મીઠાની જગ્યાએ આયોડિન યુક્ત મીઠું વાપરવાથી શરીરની રોજની જરૂરિયાત પૂરી કરવામાં મદદ મળી શકે છે. પરંતુ મીઠાનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ, કારણ કે વધારે મીઠું ખાવાથી હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધી શકે છે. આયોડિન યુક્ત મીઠાને બંધ ડબ્બામાં, ભેજ અને ગરમ વસ્તુઓથી દૂર રાખો, જેથી તેમાં રહેલું આયોડિન લાંબા સમય સુધી જળવાઈ રહે.

દૂધ, દહીં અને બીજી ડેરી પ્રોડક્ટ્સમાંથી પણ આયોડિન મળી શકે છે. જોકે આમાં આયોડિનની માત્રા અલગ-અલગ હોઈ શકે છે. ઈંડા અને ઈંડાની જરદીમાં પણ સારી માત્રામાં આયોડિન હોય છે. માછલી અને સીફૂડમાંથી પણ સારી માત્રામાં આયોડિન મળી શકે છે, પરંતુ તે માછલીના પ્રકાર અને ખાધેલી માત્રા પર નિર્ભર કરે છે. છોડમાંથી મળતા કેટલાક ખાદ્ય પદાર્થો, જેમ કે બીન્સ, અનાજ અને શાકભાજીઓમાં પણ અલગ-અલગ માત્રામાં આયોડિન મળી આવે છે. કોબીજ, ફ્લાવર અને બ્રોકોલી જેવી શાકભાજીઓમાં ગોઇટ્રોજન નામના કેટલાક તત્વો હોય છે, જે ખૂબ વધારે માત્રામાં ખાવા પર શરીરમાં આયોડિનના ઉપયોગમાં અવરોધ ઊભો કરી શકે છે. આયોડિનની ઉણપ અથવા થાઇરોઇડની બીમારી વાળા લોકોએ આ શાકભાજીઓને વધારે માત્રામાં, ખાસ કરીને કાચી અથવા સલાડના રૂપમાં, ખાવાથી બચવું જોઈએ અને પોતાના ડાયટ વિશે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

સીવીડમાં આયોડિનની માત્રા ખૂબ વધારે હોય છે. ખૂબ વધારે સીવીડ ખાવાથી અથવા ડૉક્ટરની સલાહ વગર આયોડિન સપ્લીમેન્ટ લેવાથી શરીરમાં જરૂરિયાત કરતા વધારે આયોડિન થઈ શકે છે અને આનાથી થાઇરોઇડના કામ પર અસર પડી શકે છે. જે લોકો વીગન ડાયટ લે છે, ડેરી પ્રોડક્ટ્સ નથી ખાતા અથવા ખૂબ ઓછું સીફૂડ ખાય છે, તેમણે પોતાના ખોરાકમાં આયોડિનની પૂરતી માત્રા પર ખાસ ધ્યાન આપવું જોઈએ. ગર્ભાવસ્થા અને સ્તનપાન દરમિયાન શરીરને આયોડિનની જરૂરિયાત વધારે હોય છે. થાઇરોઇડની બીમારી વાળા લોકોએ ડૉક્ટરની સલાહ વગર આયોડિન સપ્લીમેન્ટ ન લેવું જોઈએ, કારણ કે આયોડિનની ઉણપ અને તેની વધારે માત્રા, બંને થાઇરોઇડના સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. સીવીડ એ સમુદ્ર કે મહાસાગરમાં ઊગતી એક પ્રકારની દરિયાઈ વનસ્પતિ છે, જે સમુદ્રના પાણીમાં, ખડકો પર કે દરિયાઈ કિનારે કુદરતી રીતે ઊગે છે.

ડિસ્ક્લેમર: આ લેખમાં આપેલી માહિતી સામાન્ય જાણકારી માટે છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ જરૂર લો.