બુધવારે સવારે જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ વિસ્તારમાં 3.2 અને પાકિસ્તાનમાં 4.0 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (NCS) અનુસાર, આ ભૂકંપ સવારે 7:23 વાગ્યે આવ્યા હતા.
આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મિલકતના નુકસાનના સમાચાર નથી. અત્યાર સુધીમાં કોઈ તકલીફ નોંધાઈ નથી.